પતિ અને સાસુએ બોલવાનું બંધ કરી દેતા આઇટી ઇન્સ.ની પત્નિએ પુત્ર સાથે જીવ દીધો
આપઘાત પૂર્વે પિયરીયાને જાણ કરેલઃ પતિએ કહ્યું કે મારી મા નહિ બોલે તો હું પણ નહિ બોલું
સુરત તા. ૨૬ : સુરતના અડાજણ વિસ્તારમાં બે દિવસ પહેલા જ પોતાના ત્રણ વર્ષના દીકરા સાથે ૧૨જ્રાક્ન માળેથી છલાંગ લગાવી આપઘાત કરનારી યુવતીના પતિ અને સાસુ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ૨૯ વર્ષીય મૃતક ચંચલ નૈનનો પતિ ઈન્કમ ટેકસ ઓફિસર છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે પરિણિતાના પતિ અને સાસુ સામે ગુનો દાખલ કર્યો છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ નથી કરાઈ.
ઙ્ગ પોલીસના જણાવ્યા અનુસાર, 'ચંચલે પતિને સોમવારે સવારે જણાવ્યું હતું કે, સાસુ રાજબાલા તેની સાથે વાત નથી કરી રહ્યાં. આ અંગે રામમહેરે પત્નીને કહ્યું હતું કે જો તેની મા તેની સાથે વાત નહીં કરે તો તે પણ તેની સાથે વાત નહીં કરે. જેનાથી લાગી આવતા ચંચલે આ અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો.'
ઙ્ગ સોમવારે જ પતિ સાથે મોટો ઝઘડો થયા બાદ ચંચલ પોતાના દીકરાને ફેંકી પોતે પણ ૧૨જ્રાક્ન માળેથી કૂદી ગઈ હતી. ચંચલના ભાઈના જણાવ્યા અનુસાર, ચંચલને છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ અપાતો હતો. પરિવારજનો હરિયાણાથી ચાર દિવસ પહેલા પરત ફર્યા હતા, અને આ દરમિયાન ઝઘડો વધ્યો હતો. જેના કારણે ચંચલે પોતાના દીકરા સાથે આપઘાત કરી લીધો.