રાજ્યમાં કોરોના હાર્યો :નવા 5 કેસ નોંધાયા:વધુ 13 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.184 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 4530 લોકોનું રસીકરણ કરાયું
મોટાભાગના કેસ મહાનગરોમાં નોંધાયા:રાજયમાં હાલમાં 204 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 13 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,66,184 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,043 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.12 છે
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 4530 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,76.55.074 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે
રાજ્યમાં હાલ 204 એક્ટિવ કેસ છે.જેમાંથી 2 દર્દી વેન્ટિલેટર પર છે, જયારે 202 દર્દીઓ સ્ટેબલ છે. .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 5 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2 કેસ, જામનગર, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે,