ગુજરાત
News of Monday, 28th November 2022

પંજાબના સીએમ ભગવંત માનનો યાત્રાધામ ડાકોરમાં ભવ્ય રોડ શો યોજાયો: મોટી સંખ્યામાં આપ ના કાર્યકરો જોડાયા

ડાકોરના ઠાકોર રણછોડજીના દર્શન કર્યા વિના પંજાબ સીએમ પરત ફરતા રાજકારણ ગરમાયુ :દર્શન ન કરવા જનાર આપ સીએમ વિરુદ્ધ ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચાલુ

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં જોર લગાવી રહી છે. જે અંતર્ગત આજે પંજાબના સીએમ ભગવંત માનનો  યાત્રાધામ ડાકોરમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો રોડ શોમાં જોડાયા હતા.  તેમણે ગુજરાતમાં આપ સરકાર બનાવાનો દાવો કર્યો હતો.

 બીજીતરફ ડાકોરના ઠાકોર રણછોડજીના દર્શન કર્યા વિના પંજાબના મુખ્યમંત્રી પરત ફર્યા હતા. જો કે તેમણે દર્શન ન કરવા જતાં રાજકારણ ગરમાયું હતું. તેમજ દર્શન ન કરવા જનાર આપ સીએમ વિરુદ્ધ ભાજપનું સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેમાં ભાજપે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીને હિન્દુ વિરોધી ગણાવી છે

 

(9:15 pm IST)