નર્મદા જિલ્લામાં શનિવારે 7 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1522 પર પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામા શનિવારે 7 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા જેમાં રાજપીપળા એલ.સી.બી. ઓફીસ-01,હાઉસિંગ બોર્ડ -1, નાંદોદના ઉમરવા-1, જીતનગર-1,વડિયા- 1,ન્યૂ સર્કિટ હાઉસ-1 અને ડેડીયાપાડા-1 મળી જિલ્લામાં કુલ 7 દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,13 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 13 દર્દી દાખલ છે.હોમ આઇસોલેશન માં 57 દર્દી દાખલ છે.આજરોજ 12 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી જિલ્લામાં કુલ 1430 દર્દી સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1522 પર પહોચ્યો છે. આજે વધુ 393 સેમ્પલ ચકાસણી હેઠળ છે.