ગુજરાત
News of Saturday, 28th November 2020

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં અન્ય બાઈકની હડફેટે આધેડનું સારવાર દરમ્યાન મોત

સુરત:નવી સિવિલ થી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં આશાપુરી સોસાયટીમાં રહેતા 50 વર્ષીય જસુભાઇ કાલયભાઈ બારીયા ગઈ તારીખ 16મી બપોરે તેમના સંબંધી સાથે મોટરસાયકલ પર બેસીને પાંડેસરા વિસ્તારમાં તેમના નાના ભાઈના ઘરે જતા હતા તે સમયે પાંડેસરાના પત્રકાર સર્કલ પાસે તેમની મોટર સાઇકલને અન્ય બાઈકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં જશુભાઈ ને ગંભીર ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ગઈ કાલે સવારે તે મોતને ભેટયા હતા જ્યારે જશુભાઈ ની સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે તે ટી એફ ઓ મશીન ચલાવતા હતા આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:16 pm IST)