ગુજરાત
News of Saturday, 28th November 2020

લે બોલો... સુરતની ૧ હજાર હોસ્પિટલમાંથી માત્ર ૧૧૧ પાસે ફાયરનું એનઓસી છે : બેદરકારી

રાજકોટ, તા.ર૮ : અમદાવાદની શ્રેય હોસ્પિટલ બાદ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ સુરતનું ફાયર વિભાગ ફરી જાગ્યું છે અને સુરતની ૧ હજાર હોસ્પિટલમાંથી માત્ર ૧૧૧ સામે જ ફાયર વિભાગનું ઓએનસી છે.

ફાયર સેફટી નહી રાખનાર હોસ્પિટલોને બેની વધુ વાર નોટીસ છતાં કોઇ પગલા ભર્યા નથી. હોસ્પિટલમાં ઇમર્જન્સી એકઝીટ અને વેન્ટીલેશનની સુવિધા રાખવા ફાયર સીસ્ટમ અને એલાર્મ -ડીટેન્શન નિયમિત કાર્યરત રાખવા જરૂરી સુચના આપવામાં આવી રહી છે.

સુરત ફાયર સ્ટેશનના અધિકારીઓ સાથે બેઠકમાં હોસ્પિટલોમાં સર્વે કરવા સુચના આપી છે. ફાયર સેફટીના નિયમોનો ભંગ કરતી હોસ્પિટલ સામે પગલા ભરવા સુચના આપી હોવાનું જાણવા મળે છે.

(2:34 pm IST)