ગુજરાત
News of Monday, 28th September 2020

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સંપૂર્ણ સ્વસ્થઃ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની તબિયત થોડા દિવસો પહેલા નાદુરસ્ત થતા તેઓનો કોરોના ટેસ્ટ કરાવાયેલ જે પોઝીટીવ આવતા તેમની સારવાર તાત્કાલીક શરૂ કરવામાં આવી હતી. કોરોનાની સારવાર બાદ તેઓઍ પોતાની તંદુરસ્તી પરત મેળવી લીધી છે અને સંપૂર્ણ સ્વસ્થતા સાથે તેઓ પોતાના નિવાસસ્થાને પરત ફરતા પરિવારજનો તથા તેમના શૂભેચ્છકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

(5:28 pm IST)