નાંદોદ તાલુકાના એક ગામની સગીરાનું અપહરણ કરી નજીકના ગામની સીમમાં બળાત્કાર:ચકચાર
ફોટો sim
(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા પો.સ્ટે.ની હદમાં આવેલા એક નાનકડા ગામમાં સગીર વયની બાળકીનું અપહરણ કરી બળાત્કાર કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પો.સ્ટે.ની હદમાં આવતા એક ગામની સગીરાએ આપેલી ફરિયાદ મુજબ પોતે પોતાના ધર પાછળ આવેલ બાથરૂમમાં ગયેલ અને બાથરૂમમાંથી પરત ઘરમાં જતી હતી તે વખતે તેનાજ ગામનો પરેશ કાલિદાસભાઈ વસાવા તેને પકડી ધરની પાછળના ભાગે પંદરેક ફુટ દુર સુધી ખેંચી લઈ જતા સગીરાએ બુમા બુમ કરતા એક બેન ત્યાં દોડી આવતા પરેશને પકડી પાડતા તેમની સાથે ખેચતાણ કરી નાશી ગયો તથા પરેશ સાથે આવેલો નજીકના ગામનો હેમંત ભોપતભાઈ વસાવા સગીરાના ઘર પાસે પરેશની દેખરેખ માટે ઉભો રહ્યો હતો ત્યારબાદ પરેશ એ સગીરાનું અપહરણ કરી નજીકના ગામની સીમમાં આવેલ શેરડીના ખેતરમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર કર્યાની ફરિયાદ આમલેથા પોળ.સ્ટે.માં દાખલ થતાં પોલીસે અપહરણ, બળાત્કાર,પોસ્કોની કલમ સાથે ગુનો દાખલ કરી પરેશ અને હેમંત ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.