News of Friday, 28th September 2018
આણંદના નાવલીમાં નજીવી બાબતે થયેલ બબાલમાં બે વિરુદ્ધ ગુનો દાખલ
આણંદ:નજીક આવેલા નાવલી ગામે ગત ૨૫મી તારીખના રોજ રાત્રીના સુમારે બોર્ડ ઉતારી લેવા બાબતે થયેલી મારામારીમાં બે વિરૂધ્ધ આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
શૈલેષભાઈ કનુભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત ૨૫મી તારીખના રોજ રાત્રીનો પોણા દશેક વાગ્યાના સુમારે તે બાઈક લઈને બસસ્ટેન્ડ તરફ જતા હતા ત્યારે ભોઈવાડાના નાકા પાસે રાજુભાઈ ઉર્ફે મેક્સી ભીખાભાઈ પરમાર અને વિષ્ણુભાઈ બુધાભાઈ ગોહેલ મળ્યા હતા જેઓએ ક્ષત્રિય સેનાના બોર્ડની પાસે મારેલું ગણપતિનું બોર્ડ હટાવી લેવાનું જણાવીને ઝઘડો કર્યો હતો અને રાજુભાઈએ લાકડીથી માર માર્યો હતો જ્યારે વિષ્ણુભાઈએ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
(5:09 pm IST)