ગુજરાત
News of Friday, 28th September 2018

સુરતના અડાજણમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનું મોત થયાનો આક્ષેપ: પરિવારજનોનો ક્લિનિકમાં હોબાળો

થોડી વારમાં આવ છું કહી આશ્વાસન આપ્યું : છતાં તબીબ ન આવતા મહિલા દર્દીનું મોત

સુરતના અડાજણ વિસ્તારમાં શ્રી સાઈ ક્લિનિક પર લોકોએ હોબાળો કર્યો હતો. ડો,વીરેન્દ્ર સોલંકીના કારણે મહિલા દર્દીનું મોત થયું હોવાનો પરિવારના આક્ષેપ છે. ગત રોજ મહિલાને ખેંચ આવતા પરિવારજનો તબીબને બોલાવવા ગયા હતા. ત્યારે તબીબે થોડી વારમાં આવછું કહી આશ્વાસન આપ્યું હતું. છતાં તબીબ ન આવતા મહિલા દર્દીનું મોત નીપજ્યું હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો હતો.

 વિધિ બાદ આજે પરિવાજનો ક્લિનિક પર પહોચ્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો. હોબાળાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

(12:36 pm IST)