ગુજરાત
News of Friday, 28th September 2018

રાજ્યમાં સ્વાઈન ફ્લુનો કહેર યથાવત :ત્રણ દિવસમાં 4 લોકોના મોત મૃત્યુઆંક 14 થયો

રણ દિવસમાં સ્વાઈન ફ્લૂના 121 પોઝિટિવ કેસ નોંધાયા :170 દર્દીઓ સારવાર હેઠળ

અમદાવાદ :રાજ્યભરમાં સ્વાઈનફ્લૂનું સંકટ હજુ યથાવત જોવા મળી રહ્યુ છે અને છેલ્લા ત્રણ દિવસમાં સરકારી ચોપડે વધુ ચાર લોકોના મોત નિપજ્યા છે અને સમગ્ર સિઝન દરમિયાન સ્વાઈન ફ્લૂથી કુલ મૃત્યુઆંક 14 થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સ્વાઈન ફ્લૂના 121 પોઝિટિવ કેસ નોંધાયા છે અને હજુ વિવિધ હોસ્પિટલમાં 170 દર્દીઓ સારવાર હેઠળ છે

   પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં સ્વાઈન ફ્લૂના 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્રણમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે એક દર્દીને અમદાવાદ ખસેડાયો છે. તેમજ બે દર્દીને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે

(7:59 pm IST)