ગુજરાત
News of Wednesday, 28th July 2021

લોકગાયિકા ગીતા રબારીના નવા આલીશાન મકાનમાં મહેકે છે કચ્‍છની મહેકઃ પુજાઘરમાં માતાજી અને દ્વારકાધીશ ભગવાનની મૂર્તિઓની સ્‍થાપના

દંપત્તિના ચહેરા ઉપર નવું મકાન ખરીદ્યાની ખુશી છલકાઇ

ભુજ: ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા ગીતા રબારીએ તાજેતરમાં નવુ ઘર ખરીદ્યું છે. તેમનુ નવુ ઘર કોઈ મહેલથી ઓછું નથી લાગતુ. ગીતા રબારી અને તેમના પતિ હાલ પોતાના આલિશાન બંગલામાં શિફ્ટ થઈ ગયા છે. જેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પરંતુ ત્યાર બાદ લોકોને  તસવીરો બહુ ગમી હતી.

તસવીરોમાં ગીતા રબારી પતિ પૃથ્વી રબારી સાથે નવા ઘરના મંદિરમાં પૂજા કરતા નજરે ચઢે છે. પૂજા ઘરમાં તેમણે લિમ્બોજ માતાજી અને ભગવાન દ્વારકાધીશની મૂર્તિઓ સ્થાપિત કરી છે. તસવીરોમાં કપલની નવુ ઘર ખરીદવાની ખુશી તેના ચહેરા પર ઝલકાઈ આવે છે.

તેમના નવા ઘરની ખાસ વાત છે કે તેમાં જૂની પરંપરા દેખાઈ આવે છે. તેમના ઘરના દરેક ખૂણેથી કચ્છની મહેંક આવતી હોય તેવી સજાવટ કરાઈ છે.

(4:22 pm IST)