News of Wednesday, 28th July 2021
અરવિંદ કેજરીવાલ અથવા મનીષ સિસોદીયા કાલે ગુજરાતમાં: હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે
શુક્રવારે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ૩૧મીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ૧ ઓગષ્ટના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોખડામાં
વડોદરાઃ હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીનો ગઈ કાલે અક્ષરવાસ થયો હતો. તેમનો પાર્થિવ દેહ હરિધામ સોખડા ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે અનેક મહાનુભાવો આવી રહ્યાં છે.આવતી કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અથવા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવશે. શુક્રવારે મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા દર્શન કરવા આવશે. ૩૧ જુલાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ૧ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવશે.
(2:59 pm IST)