ગોરા ગામના યુવાને સરદાર સરોવર નિગમવાળાએ ફેનસિગ વાડ કરતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદમાં આવ્યો નવો વળાંક
અગાઉ યુવાને પોલીસ જવાબ માં ખેતર માં ફેંસીંગ વાડ કરતા પરિવાર કેમ જીવશે તેની ચિંતા માં આપઘાત નો પ્રયાસ કર્યાનું જણાવ્યા બાદ હાલ નવો વળાંક આવ્યો
( ભરત શાહ દ્વારા _ રાજપીપળા : ગરૂડેશ્વર પો.સ્ટે ગત તા.૨૧/૦૭/૨૦૨૦ના ભોગબનનાર રાજેન્દ્રભાઈ નારણભાઈ તડવી રહે.ગોરા ગામ તા.ગરૂડેશ્વર જી.નર્મદા એ તેમની જમીન સરદાર સરોવર નિગમમાં ગયેલ હોય અને સરદાર સરોવર નિગમ વાળાઓ એ ફેનસિગ વાડ કરી દીધેલ હોય હવે જીવન કેવી રીતે ગુજારીશ તેના ટેન્સનમાં પોતે ઝેરી દવા પીધેલાનો જવાબ પોલીસ સમક્ષ આપ્યો હતો તે બાબતે જાણવા જોગ દાખલ થઈ હતી પરંતુ પોલીસ તપાસ દરમ્યાન તેમજ ખાનગી રાહે પોલીસ ને જાણવા મળ્યું કે ભોગબનનાર રાજેદ્રભાઇને તેના ગામની છોકરી સાથે પ્રેમ સંબંધ હોય અને તે છોકરી એ તા.૨૧/૦૭/૨૦૨૦ ના બનાવના બે દિવસ પહેલા તેની સાથે લગ્ન કરવાની ના પાડતા ભોગબનનાર એ જણાવેલ કે,હું તારા વગર જીવી નહી શકુ અને તારા લગ્ન બીજી જગ્યાએ નહી થવા દઉ તેમ કહી તે ગુસ્સામાં જતો રહેલ હોય તેના ટેન્સનમાં હોય જેથી રાજેન્દ્રભાઈ એ કોઈ ઝેરી દવા પી લીધી હોવાનું તપાસ માં જણાઇ આવ્યું હોવાનું ગરુડેશ્વર પો.સ્ટે.ના પીએસઆઇ એ.એસ.વસાવા એ જણાવ્યું હતું.આમ સરદાર સરોવર નિગમવાળા એ ફેનસિગ વાડ કરી દેતા આ પગલું ભર્યાની વાત માં હાલ નવો વળાંક આવ્યો છે.