ગુજરાત
News of Friday, 27th May 2022

ગુજરાતમાં “શ્રેષ્ઠ શિક્ષક”ની પસંદગી અને પુરસ્કાર પ્રક્રિયામાં ફેરફાર: હવે ઝોન વાઈઝ કરાશે પસંદગી

અન્ય વ્યક્તિ, સમાજ કે સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકના ઉમેદવારના નામ સૂચવી શકશે

અમદાવાદ :  ગુજરાતમાં “શ્રેષ્ઠ શિક્ષક”ની પસંદગી અને પુરસ્કારની પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અન્ય વ્યક્તિ, સમાજ કે સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકના ઉમેદવારના નામ સૂચવી શકાશે. જિલ્લા પસંદગી સમિતિએ આવી વ્યક્તિના કાર્યની ચકાસણી અને પસંદગી પ્રક્રિયામાં નામનો સમાવેશ કરાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના આશયથી પ્રતિ વર્ષ ‘‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’’ એનાયત કરવામાં આવે છે. આ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરાયો છે. જેમાં વ્યક્તિ, સમાજ કે સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકોના ઉમેદવારના નામ સૂચવી શકશે.

(12:34 am IST)