આણંદ નજીક બાકરોલમાં રાત્રીના સુમારે યુવાને ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આણંદ:નજીક આવેલા બાકરોલ ગામે રહેતા યુવાને ગઈકાલે રાત્રીના સુમારે પોતાની દુકાનમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલ ખાતે રહેતા ભાવેશભાઈ પટેલ (ઉ. વ. ૩૨)ની બાકરોલ ગેટ પાસે આવેલા આત્મીય ઈચ્છા કોમ્પલે-ાના પહેલા માળે દુકાન આવેલી છે. જેમાં તેણે ગઈકાલે રાત્રીના સુમારે પંખે પડદો લગાવીને ગળે ફાંસો ખાઈ લીઘો હતો. આજે સવારે ૧૦ વાગ્યે પરિવારજનોએ તપાસ કરતાં ભાવેશ દુકાનમાં પંખે લટકેલો મળી આવ્યો હતો.
ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને કરવામાં આવતાં પોલીસ આવી ચઢી હતી અને મૃતદેહને નીચે ઉતારીને પીએમ માટે મોકલી આપ્યો હતો. ભાવેશ અગાઉ મુંબઈ ખાતે રહેતો હતો અને ત્રણેક વર્ષ પહેલાં જ બાકરોલ આવીને પત્ની અને બાળકો સાથે રહેતો હતો.