ખંભાતમાં હારજીતનો જુગાર રમતા 5 નબીરાઓની 30 હજારના મુદામાલ સાથે ધરપકડ
ખંભાત:શહેર પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ખંભાતના ખારીવાડી પરામાં છાપો મારીને પાંચ શખ્સોને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને મોબાઈલ ફોન તથા રોકડ સાથે કુલ ૩૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર નાઈટ પેટ્રોલીંગમાં નીકળેલી ખંભાત પોલીસને હકિકત મળી હતી કે, ખારીવાડી પરામાં રહેતા જયેશભાઈ શંકરભાઈ પટેલના ઘર આગળ લાઈટના અજવાળે કેટલાક શખ્સો એકત્ર થઈ પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે છાપો મારતાં રઈશભાઈ જમીલભાઈ મન્સુરી, મયુરભાઈ ભાવીનભાઈ પટેલ, વનરાજભાઈ અતુલભાઈ પટેલ, રોશનભાઈ હરકીશનભાઈ પટેલ તથા જયેશભાઈ શંકરભાઈ પટેલ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે મોબાઈલ ફોનો તથા રોકડા થઈને કુલ ૩૦૦૯૦નો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કર્યો હતો.