પોઇન્ટ બલેંક રેન્જથી ગોળી મારી પ્રજાપતી વેપારીની હત્યાનો પ્રયાસ
અમદાવાદ, તા.૨૮: ઇસનપુરની ન્યુ યોગેશ્વર સોસાયટીમાં રહેતા પારુલ સુરેશ પ્રજાપતિએ ફરિયાદ નોધાવી હતી કે, મારા પતિ સુરેશ ફેબ્રીકેશનના વેપારી છે અને અમારી સામે આવેલી પંકજ જુનાગઢે કાળુ પંડિત નામના શખસને દુકાન ભાડે આપી હતી. તે કેરી અને શેરડીનો વેપાર કરતો હતો. દરમિયાનમાં તે વારંવાર મારી સામે જોઇ બબડયા કરતો હોવાથી મારા પતિએ તેને ઠપકો આપ્યો હતો તેની અદાવત રાખી મધ્યપ્રદેશથી હથિયાર લાવી રવિવારે સવારે સુરેશ પ્રજાપતિ નાળીયેર લેતા હતા. દરમિયાનમાં પાછળથી કાળુ પંડીત આવ્યો હતો અને કહ્યુ કેમ છો શેઠ? તેમ કહી પીઠના ભાગે પોઇન્ટ બ્લેંક રેન્જથી ગોળી મારી દીધી હતી. ફાયરિંગનો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવતા કાળુ પંડીત ભાગી ગયો હતો. આ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે