ગુજરાત
News of Wednesday, 28th April 2021

કેવડિયા પાસેના પથિકાશ્રમ પાસે રિક્ષામાં વધુ મુસાફરો બેસાડી જતા ચાલક વિરુદ્ધ કેવડિયા પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે તેવામાં પોલીસ વિભાગ દ્વારા જાહેરનામાનું કડક પાલન કરાવવા કાયદેસર કાર્યવાહી કરાતી હોય કેવડીયા પાસેના પથિકાશ્રમ પાસે એક રિક્ષામાં વધુ મુસાફરો બેસાડી જતા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ કેવડીયા કોલોની પથીકાશ્રમ પાસે જાહેર રોડ ઉપર ઓટો રીક્ષા નં.GJ.6.XX 2121 મા o૫ પેસેંજર બેસાડી આવતા ચાલાક બળવંતભાઇ કમજી ભાઇ તડવી રહે અકતેશ્વર તા.ગરૂડેશ્વરને કેવડીયા પોલીસે જાહેરનામાના ભંગ બદલ પકડી ગુનો દાખલ કર્યો છે.

(10:33 pm IST)