નિકોલમાં એચ.એલ.ત્રિવેદી સેન્ટરમાં ડાયાલીસીસ હોલનું નામાભિકરણ
અમદાવાદઃ અમદાવાદના તાજેતરમાં નિકોલ ખાતે આવેલ સૂર્યમ ઔરા બિલ્ડીંગમાં સ્વ.પદ્મશ્રી ડો.એચ.એલ.ત્રિવેદી અને શ્રીમતી સુનિતાબેન ત્રિવેદી ડાયાલીસીસ સેન્ટરના (નિઃશુલ્ક) દ્વિતીય વર્ષ નિમિતે આ સંસ્થાના બેકબોન (આધારસ્થંભ) તેમજ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં પ્રમુખ શ્રી મગનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સંસ્થાનાં પટાંગણ ખાતે ડાયાલીસીસ હોલનું નામાભિકરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસ્થાને રૂ.૫૧ લાખનું દાન આપનાર મુખ્યદાતા મૂળશંકરભાઈ જાની અને તેમનાં પરિવારનું સન્માન મગનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગવત કથાકાર શ્રી ચૈતન્ય શંભુ મહારાજ તેમજ BAPS શાહીબાગના સંત શ્રી ધર્મતીલક સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.જયારે અન્ય મહાનુભાવોમાં સામાજીક અગ્રણી અને બિલ્ડર મધુભાઈ વસાણી, રિક્રિએશન બોર્ડ અને હેરિટેજના ચેરમેન રાજુભાઈ દવે, ઝીઓન ગ્રુપ વટવાના એમ.ડી. અંકુરભાઈ ભાલોડીયા, પાલીવાલ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અંતુભાઇ ભટ્ટ,ભાગવત કથાકાર રાજેશભાઈ દવે, દંઢાવ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ પંડ્યા,બ્રહ્મ અગ્રણી શ્રીમતી અરુણાબેન વ્યાસ તેમજ બિઝનેશમેન બિપીનભાઈ ગજરાવાલા ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન નમ્રતાબેન રાજેન્દ્રભાઈ વ્યાસ અને સંસ્થાના ટ્રસ્ટી યશભાઈ વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ સંસ્થાનાં ટ્રસ્ટી રાજેન્દ્રભાઈ વ્યાસનું સન્માન મગનભાઈ પટેલે કર્યું હતું.