ગળતેશ્વર તાલુકાના અંબાવમાં નજીવી બાબતે મહિલાને લાકડીથી માર મારનાર વિરુદ્ધ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી
ગળતેશ્વર: તાલુકાના અંબાવમાં આવેલ ભાથીજીવાળા ફળીયામાં ગોવિંદભાઈ દેવાભાઈ ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે. તેમના ઘઉંના પાક લહેરાતાં ખેતરમાં ગત તારીખ ૨૧ માર્ચના રોજ અંબાવ તાબે સુખીની મુવાડીમાં રહેતાં દલાભાઈ ભોજાભાઈ ભરવાડે ઘેટા-બકરાં ચરાવવા છોડયાં હતાં. જેને લઈ ગોવિંદભાઈના ખેતરમાં ભેલાણ થયું હતું.
આની જાણ ગોવિંદભાઈને થતાં તે અને તેમના પત્ની ગંગાબેન બીજા દિવસે દલાભાઈ ભરવાડને ઠપકો આપવા ગયાં હતાં. તે વખતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા દલાભાઈએ હાથમાંની લાકડી ગંગાબેનના પગના ભાગે મારી ઈજા પહોંચાડી હતી.
આ બનાવ અંગે ગંગાબેન ગોવિંદભાઈ ચૌહાણની ફરીયાદને આધારે સેવાલિયા પોલીસે દલાભાઈ ભોજાભાઈ ભરવાડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.