ગુજરાત
News of Saturday, 28th March 2020

કોરોનાની મહામારી વચ્ચે મહેસાણાનું ચોસઠ જોગણી યુવક મંડળ ગ્રુપ 21 દિવસ સુધી ગરીબોને ભોજન પહોંચાડી લોકોની ભૂખ સંતોષશે

મહેસાણા:કોરોનાની મહામારીથી સમગ્ર દેશમાં ૨૧ દિવસ લોકડાઉન રહેશે. આવા સમયે ગરીબ પરિવારોની હાલત નાજુક બની છે. જેથી ચોસઠ જોગણી યુવક મંડળ પાલોદર દ્વારા સતત ૨૧ દિવસસુધી જરૃરીયાતમંદ ગરીબો સુધી ભોજન પહોંચાડવાનું ભગીરથ કાર્ય શરૃ કરી દીધું છે. જિલ્લાના ૨૦ કિ.મી.ના વિસ્તાર સુધી પહોંચી યુવાનો માનવતા મહેકાવી રહ્યા છે. પ્રથમ દિવસે ૮૦૦ અને બિજા દિવસે ૭૦૦ લોકોને ભોજન આપીને ઉમદા કાર્ય કર્યું હતું. કાર્યને ગામલોકોએ બિરદાવ્યું હતું.

(5:41 pm IST)