અમદાવામાં કેન્સરના દર્દીઓને ઉપયોગમાં લેવાતી દવાઓમાં ભાવમાં ઘટાડો થતા દર્દીને રાહત
અમદાવાદ: શહેરમાં કેન્સરના દરદીઓ માટે ઉપયોગમાં લેવાતી ૪૨ જેટલી નોન શિડયુલ દવાઓના ભાવમા ૮૫ ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ કરી છે. આ દવાઓમાં આપવામાં આવતા ટ્રેડ માર્જિનને ૩૦ ટકા સુધી જ સીમિત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ કેન્સરની ૫૭ જેટલી દવાઓને પ્રાઈસ કંટ્રોલ હેઠળ લાવી દેવામાં આવી છે. આ નિર્ણયને પરિણામે કેન્સરની સારવાર માટે વપરાતી દવાઓના ભાવમાં ૮૫ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. આ નવા ભાવ આઠમી માર્ચથી અમલમાં આવી જશે. ૨૦૧૮ની સાલમાં ભારતમાં કેન્સરથી ૮ લાખ લોકો મૃત્યુ પામ્યા હોવાનું કારણ પણ આ નિર્ણય લેવાની મૂળમાં છે.
શિડયુલ ડ્રગની કેટેગરીમાં આવતી દવાઓ પર ૧૬થા ૧૭ ટકા માર્જિન લેવાની મર્યાદા લગાવવામાં આવેલી છે. નોન શિડયૂલ ડ્રગના ભાવમાં વર્ષે ૧૦ ટકાથી વધુનો વધારો ન કરવા દેવાનો પણ નિર્ણય લેવાયો છે.