ગુજરાત
News of Friday, 28th January 2022

આમલેથા ગામે અમારી દુકાને મચ્છી લેવા કેમ આવ્યો નથી તેમ કહી લોખંડની પાઇપ વડે હુમલો : 2 શખ્સો વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં મચ્છી લેવા ન આવનાર ગ્રાહકને માર મારનાર બે શખ્સો વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે

 પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 27 જાન્યુઆરી એ સાંજે 7.30 વાગે બનેલી ઘટના બાબતે ચંદ્રેશભાઇ રુપસીંગભાઇ વસાવા ( રહે આમલેથા સુથારફળીયું તા.નાંદોદ જી.નર્મદા )એ આપેલી ફરીયાદ મુજબ તેઓ આમલેથા ગામે તડવી ફળીયામાંથી મરઘીનુ મટન લઇને પોતાના ઘરે જતો હતો તે સમયે ગુલાબ સીંગભાઇ સેનીયાભાઇ વસાવાએ તેમને જણાવેલ કે, તુ અમારી દુકાને મચ્છી કેમ લેવા માટે આવેલ નથી.? તેમ જણાવી ગમેતેમ ગાળો બોલી તથા અમ્રુતભાઇ ગુલાબસીંગભાઇ વસાવા એ પિતાનું ઉપરાણુ લઈ પોતાની દુકાનમાંથી લોખંડનો સળીયો લાવી મારી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આમલેથા પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(11:17 pm IST)