ગુજરાત
News of Friday, 28th January 2022

સુરતના વરાછામાં લગ્નના 10 દિવસ પહેલા યુવાને અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકતા પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: વરાછામાં લગ્નના 10 દિવસ પહેલા યુવાને કોઇ કારણસર ટ્રેન નીચે પડતુ મુકયુ હતુ જ્યારે લાલગેટ ખાતે યુવાને ચોથા માળેથી છલાંગ મારી જીવન ટુંકાવ્યુ હતુ. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં કોસાડ ખાતે સાંઇ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતો ૩૨ વર્ષીય નિલેશ મણીલાલ પટેલે બુધવારે બપોરે વરાછાના રેલવે ટ્રેક પર જઇને સુઇને ચાલુ ટ્રેન નીચે પડતુ મુકી આત્મ હત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે નિલેશ મુળ મહેસાણાનો વતની હતોતેના લગ્ન આગામી10 દિવસ પછી થવાના હતા. તેણે કોઇ કારણસર ટેન્શનમાં આવીને પગલુ ભર્યુ હતુ. અંગે વરાછા પોલીસે તપાસ આદરી છે. બીજા બનાવમાં લાલગેટ ખાતે શાહપોરમાં રહેતો 35 વર્ષીય ધવલ નરેશ કાપડીયા બુધવારે સાંજે ઘરના ચોથા માળે રહસ્યમય સંજોગોમા નીચે પટકાયો હતો. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યુ કે તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે તે જીદંગીથી કટાંળી ગયો હોવાથી ઉપરથી કુદીને આપધાત કર્યો હતો. તે માર્કેટીંગનું છુટક કામ કરતો હતો. અંગે લાલગેટ પોલીસે તપાસ હાથ ઘરી છે.

(6:16 pm IST)