નડિયાદના અમદાવાદી કાપડ બજાર નજીક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
નડિયાદ : નડિયાદ શહેરના અમદાવાદી કાપડ બજાર પાસેની દુકાન અંગે લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે ફરિયાદ નોંધાઇ છે.આ બનાવ અંગે સ્થાનિક પોલીસે એક વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં રહેતા ઉસ્માનભાઇ બલોલની વડિલો પાર્જિત દુકાનો આવેલી છે. વર્ષ-૧૯૯૦ સુધી દુકાનોનુ ભાડુ રાબેતામૂજબ મળતુ હતુ. આ બાદ વિલેશ પરમારને અર્થિક સંકળામણ આવતા તેઓએ દુકાન માલિકની જાણ બહાર નાણા લઇ દુકાન અબ્દુલસત્તાર ઇબ્રાહીમભાઇને આપી હતી.જેથી બંને દુકાનોનો કબ્જો અબ્દુલસત્તાર ચકાવાલા પાસે છે.આ અંગે અબ્દુલસત્તાર ચકાવાલાનો સંપર્ક કરતા તેમણે કહેલ કે બંને દુકાનો ઉપર મારો કબ્જો છે.અને જો તમે આ બાબતે કબજો લેવા આવશો તો હુ જોઇ લઇશ તેવી ધમકી આપી હતી.આ બનાવ અંગે ઉસ્માનભાઇ રહેમતુલ્લા બલોલે નડિયાદ ટાઉન પોલીસ મથકે અબ્દુલસત્તાર ઇબ્રાહીમભાઇ ચકાવાલા વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે.