કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી નીકળ્યો
સુરત,તા.૨૮ : ડિંડોલી વિસ્તારમાં કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી નીકળ્યાનો કેસ સામે આવી રહ્યો છે. આ ઘટનાની ડિંડોલી પોલીસને જાણ થતાં પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ત્રણ જેટલા નરાધમોએ માસૂસ કિશોરી સાથે બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા.સુરતમાં ગેંગરેપની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
સુરતના ચીખલીથી ભાગીને મિત્ર સાથે સુરત આવેલી કિશોરી પર લ્પ્ઘ્ આવાસના બંધ મકાનમાં ગેંગ રેપની ઘટના સામે આવતા ડીંડોલી પોલીસ દોડતી થઈ હતી. એટલું જ નહીં પણ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય રેપિસ્ટને પકડી આગળની તપાસ હાથ ધરી છે.ડીંડોલી ભ્લ્ત્એ કે.બી દેસાઈએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલાં એટલે કે ૧૫ વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈ માતા અને માસા-માસીએ દબાણ કરતા કિશોરી ઘર છોડી ભાગી ગઈ હતી.
આ કિશોરી સુરજસિંગ નામના યુવાન સાથે સુરત ભાગી આવી હતી. ત્યારબાદ બન્ને અલગ અલગ જગ્યાઓ પર રહેતા હતા. જોકે દાનત બગાડતા સુરજસિંગએ કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. પછી અવાર નવાર કિશોરીને પોતાની વાસનાનો ભોગ બનાવ્યો હતો.