અજાણ્યા પુરુષની હત્યાનો ભેદ ઉકેલતી કપડવંજ પોલીસ
એલસીબી પીઆઇ એમ. ડી. પટેલ પીએસઆઇ એ. ઓ. તિવારી અને કપડવંજ ટાઉન પીઆઇ એચ. સી. ઝાલાની ટીમે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો
(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ:કપડવંજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યામાં એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી. આ કેસની તપાસ કપડવંજ એલસીબીએ હાથ ધરી માત્ર 24 કલાકમાં તેનો ભેદ ઉકેલી અને હત્યા કરનારા 2 આરોપીને ઝબ્બે કરી લીધા હતા.
એલસીબી પીઆઇ એમ. ડી. પટેલ પીએસઆઇ એ. ઓ. તિવારી અને કપડવંજ ટાઉન પીઆઇ એચ. સી. ઝાલાની ટીમે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યામાં રેતીના ઢગલા પર મળેલી લાશની તપાસ હાથ ધરી હતી. જેમાં મરનારની ઓળખ કરી હતી. ત્યારબાદ તેમણે તેના સંલગ્ન શખ્શો દિલીપસિંહ છઠ્ઠસિંહ રામઅવતારસિંહ ભૂમિહાર ઉ.વ.49 ) (હાલ રહે. ભાવાલડી સિંધરવા, અમદાવાદ મૂળ બિહાર) અને રીતેશ કુમાર પ્રભંસ અબધ મહતો (ઉ.વ.25 રહે. ભૂલાવડી સિંધરવા અમદાવાદ) અને મૂળ બિહારને પકડી પાડ્યા હતા. તેમણે તેની કડક હાથે પુછતાછ કરતાં જણાવ્યું કે, મરનાર રેતીના પ્લાન્ટમાં આવ્યો હતો. જેને બહાર જવાનું કહેતા તે ગયો ન હતો. જેમાં આ બે આરોપીની તેમની સાથે અથડામણ થઇ હતી. જેમાં તેમણે તેને મુઠ માર મારી તેની હત્યા કરી દીધી હતી. આ બંને આરોપીઓએ ગુનો કબૂલતા પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો અને તેના સંયોગિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.