ગુજરાત
News of Thursday, 28th January 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાંથી છુટા કરાયેલા સફાઈ કર્મચારીઓને પરત લેવા બીજી વખત કલેક્ટરને આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી નર્મદા જિલ્લાની કોવિડ-૧૯ આઈસોલેસન હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા સફાઈ કર્મીઓને છુટા કરાતા આજે બીજી વખત કલેક્ટરને આવેદન આપી નોકરી પર પરત લેવા રજુઆત કરી હતી.

અવેદનમાં જણાવ્યા મુજબ કોવિડ હોસ્પિટલમાં નોકરી કરતા જેટલા સફાઈ કામદારો પૈકી ને બંધ કરાતા નોકરી પર પરત લેવા માંગ કરી છે જેમાં આ તમામ કર્મીઓ તા. ૨૬/૦૩/૨૦૨૦ થી કોવિડની મહામારી ચાલતી હતી તે સમય થી પરીવારની ચિંતા કર્યા વગર કામ કરતા હતા. આવી મહામારીમાં કોઈ નોકરી કરતુ ન હતું એવા સમયમાં તેઓ નોકરી કરતા હતા પણ અચાનક સફાઈ કર્મચારીઓ ને નોકરી પરથી બંધ કરતા કલેક્ટર ને આજે બીજી વખત લેખિત રજુઆત કરાઈ છે.

(11:22 pm IST)