ગુજરાત
News of Tuesday, 28th January 2020

ભરૂચ જિલ્લામાં પખવાડિયાથી 'માં કાર્ડ' નહીં બનતા ગરીબ લોકો કફોડી હાલતમાં મુકાયા

કોંગી આગેવોનોની ધારદાર રજૂઆત બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ શરુ કરવા ખાતરી આપી

ભરૂચ જિલ્લામાં છેલ્લાં 15 દિવસથી માં કાર્ડ નહીં બનતા લગભગ હજારો ગરીબો કફોડી હાલતમાં મુકાઇ ગયા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના હોદ્દેદારોએ જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. કોંગી આગેવોનોની ધારદાર રજૂઆત બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ આજથી મા અમૃતમ કાર્ડ કાઢવાની કાર્યવાહી શરૂ કરવાની ખાતરી આપી હતી

(10:05 pm IST)