સાગબારાના ચોપડવાવ ગામે આડા સંબંધનો વ્હેમ રાખી પતિ એ પત્નીની હત્યા કરતા ચકચાર
પત્ની પર પુરુષ સાથે સંબંધ ધરાવતી હોવાનો સક કરી વારંવાર મારઝૂડ કરતા પતિ એ જ દંડા વડે ઢોર માર મારી હત્યા કરી
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના ચોપડવાવ ગામમાં ખોટો પત્ની પર ખોટો શક રાખી પતિએ માર મારી હત્યા કરતા નાનકડા ગામમાં અરેરાટી ફેલાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ચોપડવાવ ખાતે રહેતા રવિદાસ જયરામસીંગ ઉર્ફે જેરમીયાભાઇ વસાવાના ૩-૪ વર્ષ પહેલાજ કૈલાશબેન સાથે લગ્ન થયા હતા.લગ્ન જીવન દરમીયાન તેમબે બે સંતાન હોય શરૂઆતમાં પત્ની કૈલાશને સારી રીતે રાખ્યા બાદ પતિ રવિદાસ કૈલાશને અન્ય પુરુષ સાથે આડો સંબંધ છે તેવો વ્હેમ રાખી અવાર નવાર મારઝૂડ કરતો હતો છતાં કૈલાશબેન સંતાનો માટે પતિનો આ ત્રાસ વારંવાર સહન કરી રહેતા હતા છતાં પતિનો ખોટો શક દૂર ન થયો અને વ્હેમનું કોઈ ઓસડ હોતું નથી એમ ગત તારીખ ૨૬ જાન્યુઆરીએ આડા સબંધનો વહેમ રાખી ગમે તેમ ગાળો બોલી ઝગડો કરી કૈલાશને ગડદાપાટુ તથા વાસના ડંડાવડે માર મારી ગંભીર ઇજાઓ પહોચાડી તેનું મોત ઘટના સ્થળ પરજ ઘરમાં નિપજાવી નાસી જતા આ બાબતની જાણ આસપાસના લોકોને થતા ભારે હોબાળો મચી ગયા બાદ સાગબારા પોલીસમાં ફરિયાદ થતા પોલીસે ફરાર રવિદાસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ ઘટના બાદ નાનકડા ચોપડવાવ ગામ માં અરેરાટી ફેલાઈ હતી.તપાસ સાગબારા પીએસઆઇ જી.કે.વસાવા કરી રહ્યા છે.