ગુજરાત
News of Friday, 27th November 2020

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ: તમામ સામાન બળીને ખાખ

સ્ક્રેપ માર્કેટમાં આગ લાગવાની ટૂંકા સમયમાં બીજી ઘટના

અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે દેશની સૌથી મોટી ઔધોગિક વસાહતને અડીને આવેલા આ સ્ક્રેપના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ માટે જોખમ ઉભું કરી રહી  છે

અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલ સ્ક્રેપ માર્કેટમાં આગ લાગવાની ટૂંકા સમયમાં બીજી ઘટના બની છે. હાઇવે પર આવેલ ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે એકાએક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.વિકરાળ આગના પગલે ગોડાઉનમાં રહેલ તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો

(11:32 am IST)