ગુજરાત
News of Wednesday, 27th November 2019

શંખેશ્વરની રાજપુર નર્મદા કેનાલની સાફ- સફાઇ માટે કોન્ટ્રાક્ટરોએ સગીર બાળકોને કામે લગાડ્યા !!

નર્મદા નિગમના અધિકારીઓ સામે આંગળી ચીંધાઈ

 

પાટણના શંખેશ્વરની રાજપુર નર્મદા કેનાલની સફાઇ શરૂ કરવામાં આવી હતી. જો કે કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલની સફાઈ માટે સગીર બાળકો કામે લગાડવામા આવ્યા હોવાની તસવીરો વાયરલ થઇ છે જેના પગલે નર્મદા નિગમના અધિકારીઓ સામે આંગળી ચીંધાઈ છે.

  રાજપુર નર્મદા કેનાલ ખેડૂતો માટે માથાના દુખાવ સમાન બની હતી. તંત્ર દ્વારા સાફ સફાઇના અભાવે કેનાલમાં ઝારીજાંખરા થઇ ગયા હતા. જો કે વર્ષે સારા વરસાદના લીધે રવિ સિઝન માટે ખેડૂતોને કેનાલ દ્વારા પાણી આપવાનું છે. જેથી તંત્રએ માંડ માંડ કેનાલાની સફાઇ શરૂ કરી છે.

(12:19 am IST)