News of Tuesday, 27th November 2018
બનાસકાંઠાના અમીરગઢમાં સરકારી દવાઓનો જથ્થો જાહેર માર્ગમાં ફેંકી દેવાયો :લોકોમાં રોષ
બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં સરકારી દવાખાનામાં દવાઓનો જે જ્થ્થો ગરીબોને આપવાનો હતો તે દવાઓનો કોઇ ઉપયોગ કરાયો નહીં. અને અંતે આ દવાઓ એક્સપાયર થઇ જતા દવાઓને જાહેર માર્ગ પર ફેંકી દેવાયો. ત્યારે દવાઓના ફેંકી દેવાયેલા આ જથ્થાને લઇને લોકોમાં રોષ જોવા મળ્યો છે.
આમ તો આ રીતે મેડિકલ વેસ્ટ કરવો અયોગ્ય છે. તેમાં પણ મોટી માત્રામાં જાહેર રસ્તા પર એક્સપાયર થયેલી આ દવાઓને જોઇને લોકોમાં રોષની સાથે લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થયું છે.
(8:54 am IST)