રાજ્યમાં કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 15 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :કુલ મૃત્યુઆંક 10.088 :કુલ 8.16.220 લોકોએ કોરોનાને હરાવ્યો: આજે વધુ 2.49.699 લોકોનું રસીકરણ કરાયું
વડોદરામાં 5 કેસ, સુરતામાં 4 કેસ, રાજકોટ અને આણંદમાં 3-3 કેસ, વલસાડમાં 2 કેસ નોંધાયા :હાલમાં 173 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 15 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી છે રાજ્યમાં આજે કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 15 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.220 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી આજે કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.088 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.49.699 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 6.95.77.967 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે રાજ્યમાં હાલ 173 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 168 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.220 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.088 થયો છે રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 17 કેસમાં વડોદરામાં 5 કેસ, સુરતામાં 4 કેસ, રાજકોટ અને આણંદમાં 3-3 કેસ, વલસાડમાં 2 કેસ નોંધાયા છે |