રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા : નવા 30 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 18 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :કુલ મૃત્યુઆંક 10.088 :કુલ 8.16.205 લોકોએ કોરોનાને હરાવ્યો: આજે વધુ 3.44.908 લોકોનું રસીકરણ કરાયું
સુરત અને અમદાવાદમાં 8-8 કેસ, વલસાડમાં 5 કેસ, વડોદરામાં 3 કેસ,ગીર સોમનાથ અને નવસારીમાં 2-2 કેસ, જૂનાગઢ અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 171 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 30 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 18 દર્દીઓ રિકવર થયા છે
રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી છે
રાજ્યમાં આજે કોરોનાના નવા 30 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 18 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.205 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી આજે વલસાડમાં એક દર્દીનું મૃત્યુ થયું છે રાજયમાં કુલ મૃત્યુઆંક 10.088 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.44.908 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 6.93.28.268 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે
રાજ્યમાં હાલ 171 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 166 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.205 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.088 થયો છે
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 30 કેસમાં સુરત અને અમદાવાદમાં 8-8 કેસ, વલસાડમાં 5 કેસ, વડોદરામાં 3 કેસ,ગીર સોમનાથ અને નવસારીમાં 2-2 કેસ, જૂનાગઢ અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો છે