ગુજરાત
News of Sunday, 27th September 2020

કોરોના કેસ વધતા સાબરકાંઠાના ઈડરમાં 7 દિવસ બજાર સ્વંયભૂ બંધ રહેશે

સાબરકાંઠા :  ઈડરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે શહેરના તમામ એશોસિએશનની એક બેઠક મળી હતી. જેમાં ઈડર શહેરની બજારોને સ્વંયભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વાસણ, કાપડ મહાજન,સોની, સીડસ,ઓટો પાર્ટસ એશોસિએશનની સ્વૈચ્છિક મળેલી બેઠકમાં લૉકડાઉનનું પાલન કરવાનું નક્કી થયું છે. આ નિર્ણયને પગલે ઈડરમાં સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રહેશે.

(7:03 pm IST)