ગુજરાત
News of Friday, 27th September 2019

અમદાવાદના કાળીગામનું ગરનાળું પાણીમાં ગરકાવ : વર્ષોથી સમસ્યા છતાં કોઈ ઉકેલ નથી

વરસાદી પાણી અને ગટરના પાણી મિક્સ થવાથી મચ્છરોનો ઉપદ્રવ

 

અમદાવાદનાં કાળી ગામ ખાતે આવેલા ગરનાળામાં વરસાદી પાણી તેમજ ગટરનાં પાણીથી સમગ્ર ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. અંગે અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારે કોર્પોરેશન દ્વારા પગલા લેવામાં આવતા નથી. સાથે વરસાદી પાણી અને ગટરના પાણી મિક્સ થવાથી મચ્છરોનો ઉપદ્રવ થતા આસપાસના સ્થાનિકોને બીમારીનો ભોગ બનવું પડે છે. ત્યારે કાળીગામ ગરનાળામાં છેલ્લા કેટલાય વર્ષોથી પ્રકારની જે સમસ્યા છે તેનો નિકાલ કોર્પોરેશન ક્યારે કરશે તે સવાલ સ્થાનિકોને થઈ રહ્યો છે

(11:39 pm IST)