ગુજરાત
News of Friday, 27th September 2019

તારાપુરના મોરજ ગામે પશુપાલક પાસેથી 14 ગાયો ખરીદી 2.50 લાખનું પેમેન્ટ ન કરી છેતરપિંડી આચરનાર ત્રણ વિરુદ્ધ ઠગાઇનો ગુનો દાખલ

તારાપુર:તાલુકાના મોરજ ગામે રહેતા એક પશુપાલક પાસેથી ૧૪ જેટલી ગાયો ખરીદીને બાકી પડતાં .૫૦ લાખ રૂપિયા નહીં આપી છેતરીંડી તેમજ વિશ્વાસઘાત કરતાં અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર મોરજની ઉમા સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ બેચરભાઈ પટેલ પાસેથી ગત ૨૮મી માર્ચના રોજ ભાદરણીયા ગામે રહેતા ઈન્દુભાઈ મગનભાઈ સોલંકી, નાપા ગામે રહેતા સલીમભાઈ યાકુબભાઈ વ્હોરા અને ટાટા આઈશર ટેમ્પોનો ચાલક ગુલામભાઈ વ્હોરા દ્વારા ૧૪ જેટલી ગાયો ,૫૦,૧૦૦માં ખરીદી હતી. તે પેટે લાખનો ચેક આપ્યો હતો.

(5:54 pm IST)