ગુજરાત
News of Friday, 27th September 2019

સ્વાગત ઓનલાઇન : લોકોની ફરીયાદોના નિકાલ માટે હકારાત્મક અભિગમ રાખવા કૌશિલ પટેલનો અનુરોધ

રાજકોટઃગાંધીનગર ખાતે રાજ્યના મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણમાં રજુઆત કર્તા-નાગરિકો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી લોક પ્રશ્નોના ત્વરીત નિવારણ માટે તાકીદ કરી છે. ગઇ કાલે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લોકહિતના પ્રશ્નોને તેઓએ સાંભળીને કહ્યું કે, સામાન્ય નાગરિક , ગરીબ, વંચિત નાગરિકોને પોતાની સમસ્યાની રજુઆત માટે સ્થાનિક સ્તરે જ નિવારણ આવે તેવું સૌ સંબંધિત અધિકારીઓએ દાયિત્વ નિભાવવું પડશે.સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર તથા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:41 pm IST)