ગુજરાત
News of Friday, 27th September 2019

થરાદમાં એક જ રાતમાં પાંચ મંદિરના તાળા તોડીને તસ્કરોએ તરખાટ મચાવ્યો

સોના-ચાંદીના દાગીના સહિતની રોકડ રકમ ઉઠાવીને ફરાર: ઘટના સીસીટીવીમાં કેદ

બનાસકાંઠાના થરાદમાં એક જ રાતમાં પાંચ મંદિરના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરો પાંચેય મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના સહિતની રોકડ રકમ ઉઠાવીને ફરાર થયા છે

  જાણવા મળ્યા મુજબ પાંચ બુકાનીધારી શખ્સોએ લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું અનુમાન છે. મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં તસ્કરોની હરકત કેદ થઈ છે. અને પોલીસે તપાસ શરૂ કરી છે.

(12:35 pm IST)