અલ્પેશ અને ધવલસિંહને ફરી ટીકીટ, થરાદમાં શૈલેષ પટેલ અથવા શંકર ચૌધરી
ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશેઃ ખેરાલ્ડમાં ભાજપના અજમલજી ઠાકોરનું નામ મોખરે
રાજકોટ તા.૨૭: વિધાનસભાની ૬ બેઠકોની પેટાચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૦મીએ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરે તેવા એંધાણ છે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર (રાધનપુર) અને ધવલસિંહ ઝાલા (બાયડ)ને ફરી ટીકીટ આપવા ભાજપે નિર્ણય કરી લીધો છે.
ઉમેદવારોના નામની જાહેરાત રવિવારે બપોર સુધીમાં થઇ જશે.
બનાસકાંઠાની થરાદ બેઠક પર પૂર્વ મંત્રી શંકર ચૌધરી તથા સાંસદ પરબતભાઇ પટેલના સુપુત્ર શૈલેષ પટેલ વચ્ચે ખેંચતાણ છે બેની ખેચતાણમાં કોઇ ત્રીજુ નામ પણ આવી શકે છે. અમદાવાદની અમરાઇવાડી બેઠકમાં રમેશ કાંટાવાળા, રમેશ દેસાઇ, કમલેશ પટેલ વગેરે નામ ચર્ચામાં છે મહેસાણાની ખેરાલુ બેઠક પર અજમલજી ઠાકોરનું નામ મોખરે છે લુણાવાડામાં દિનેશ પટેલ અથવા જીજ્ઞેશ પટેલને ટીકીટ મળવાણી શકયતા છે.(૧.૬)