વડોદરા નજીક સીંઘરોટ મહિલાસાગર નદીના બ્રિજ પરથી રહસ્યમય સંજોગોમાં પ્રેમીપંખીડાએ કૂદકો માર્યો
વડોદરા:શહેર નજીક સિંધરોટ ની મહીસાગર નદીના બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરેલ મૃતદેહો આજે સવારે મહીસાગર નદીમાંથી મળી આવ્યા હતા. તેઓની બાઈક બ્રિજ પાસે પાસેથી પાર્ક કરેલ મળી આવી હતી. યુવક પાસેથી મળી આવેલા આઈડી પ્રૂફ માં યુવક નાપાડ ગામનો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે યુવતીની ઓળખ થઇ શકી નથી.
માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ચોમાસાની સિઝનમાં મહીસાગર નદીમાં નવા નવા પાણી આવતા બે કાંઠે વહી રહી છે તેવા સમયે આનંદ તાલુકાના નાપાડ ગામનો યુવક યુવતી યુવતી સાથે બાઈક ઉપર સિંધરોટ નજીક મહીસાગર બ્રિજ પર આવી પહોંચ્યા હતા અને તેઓએ બ્રિજની નજીક આવેલ મકાઇની લારી પાસે બાઈક ઉભી રાખી ને ચાલતા થોડેક દૂર ગયા હતા જ્યાં આ બંને રહસ્યમય સંજોગોમાં ધસમસતા વહેતા મહીસાગર નદીના પાણીમાં મોતની છલાંગ લગાવી હતી જેથી તેઓ મોતને ભેટયા હતા આ બંનેની લાશ મહીસાગર નદીના કિનારે તરતી લોક નજરે ચડતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કિનારા પર તરતી લાશોને બહાર કાઢી હતી. ગામ કેટલાક લોકોએ બ્રિજની આસપાસ તપાસ કરતા એક બિનવારસી બાઈક મકાઇની લારી પાસે પાર્ક કરેલી મળી આવી હતી. મૃતક યુવક પાસેથી મળી આવેલા આઈડી પુરાવામાં યુવક શોહેબ સિકન્દર રાણા નાપાડ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે જ્યારે યુવતીની ઓળખ છતી કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.