વડોદરા:મકરપુરા જીઆઈડીસીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.48લાખની ચોરી કરતા પોલીસ ફરિયાદ
વડોદરા:મકરપુરા જીઆઇડીસીમાં આવેલી બેટરીની દુકાનમાંથી ચોરટોળકી ૯૭ બેટરી અને ચાર્જર મળીને ૧.૫૯ લાખની મતા ચોરી ગઇ હતી. જ્યારે પાણીગેટ મહેદીનગરના બંધ મકાનમાંથી ૧.૪૮ લાખની ચોરી થઇ છે.
પાણીગેટ બાવામાનપુરા મહેદીનગરમાં રહેતા અંજુહુસેન અલ્લારખા શેખ વાઘોડિયા ડેપોમાં મિકેનીક તરીકે નોકરી કરે છે. નોકરીમાં ત્રણ દિવસ રજા હોઇ તેઓ સાસરીમાં ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના દરવાજાની જાળીનો નકુચો તોડીને ચોરટોળકી સોના-ચાંદીના દાગીના તથા રોકડા મળીને ૧.૪૮ લાખ રૃપિયાની મત્તા ચોરી ગઇ હતી. જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
જ્યારે અન્ય એક બનાવમાં મકરપુરા રોડ ગીરધરપાર્ક સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર પટેલની મકરપુરા જીઆઇડીસીમાં નીલકંઠ બેટરી નામની દુકાન છે. ગત ૧૩ થી ૧૫ જૂન સુધી તેમની દુકાન બંધ હતી. તે દરમિયાન ચોરટોળકીએ શટર તોડીને ૯૭ બેટરી, ચાર્જર તથા રોકડા રૃપિયા ૨૫૦૦ની ચોરી કરી હતી. જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.