ગુજરાત
News of Monday, 27th July 2020

વડોદરામાં આજવા રોડ પર પિયર ગયેલ પત્નીને છૂટાછેડા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

વડોદરા: શહેરના આજવા રોડ પર રહેતી પરિણીતાને ગર્ભાવસ્થા દરમિયાન સાસરીયા પરિણીતાને વધારે પડતું કામ કરાવતા હોઇ પરિણીતાને ગર્ભપાત થઇ ગયો હોવાનો આક્ષેપ કરતી ફરિયાદના આધારે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજવા રોડ કિશનવાડી જયપ્રકાશનગરમાં રહેતી જયશ્રી નામની યુવતીના ગ્ન દિપક રતિલાલ પરમાર (રહે. તુલસીવાડી સ્લમ ક્વાટર્સ) સાથે મે-૨૦૧૫ માં થયા હતાં. જયશ્રીએ પોલીસને જણાવ્યું હતું કે લગ્નના એક મહિના પછી પતિએ ઘરકામ બાબતે ઝઘડા શરૃ કર્યા હતાં. લગ્નજીવન દરમિયાન પ્રથમવાર ગર્ભ રહ્યો ત્યારે સાસુ મારી પાસે બળજબરીથી વધારે પડતુ કામ કરાવતા હતા અને માનસિક ત્રાસ આપતા હતાં જેથી મને ગર્ભપાત થઇ ગયો હતો. ત્યારબાદ બીજીવખત ગર્ભ રહેતા સાત મહિને સીમંતનો પ્રસંગ હતો. સીમંતનાં મારા પિયરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા ૧૫ હજાર રૃપિયા આપવામાં આવ્યા હતાં. જે મારા સાસુને ઓછું પડતા મારી સાથે મારઝૂડ શરૃ કરવામાં આવી હતી. સાસરિયાઓના ત્રાસથી હું પિયરમાં જતી રહી હી. પિયરમાં મારા પતિ તથા સસરા છૂટાછેડાનું લખાણ લઇને આવ્યા હતા. અને મને ધમકી આપી હતી કે તું સહી કરી દે નહીતર તને જાનથી મારી નાંખીશું.

(5:17 pm IST)