કપડવંજ તાલુકાના વેણી પુરાની નર્મદા કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કપડવંજ : કપડવંજ તાલુકાના વેણી પુરાની નર્મદા કેનાલમાં ડુબી જવાથી ચપટીયા ગામના આધેડ જગાભાઈ ઝાલાનું મૃત્યુ થયું હતું. બનાવથી વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. અપમૃત્યુના કારણ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પડી જવાને કારણે મોત નિપજ્યાનું પ્રાથમિક તારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આજરોજ કપડવંજ તાલુકાનાની ટાઉન પોલીસ સ્ટેશની હદમાં વેણીપરાની મુખ્ય નર્મદા કેનાલમા તારીખ ૨૫-૬૨૨ને સવારે ૧૧.૩૦કલાક પહેલા કપડવંજ તાલુકાના ચપટીયા તાબે સુલતાનપુર વડધરાના જગાભાઈ અરજણભાઇ ઝાલા એકાએક પડી જવાને પગલે ડુબી જવાથી મોત નિપજ્યું હતું. કેનાલમાંથી તેઓની લાશ મળી આવી હતી. જેની જાણ તેમના દીકરા કીરીટભાઇ જગાભાઈ ઝાલા ચપટીયા તાબે સુલતાનપુર વડધરાનાઓ પોલીસ સ્ટેશનમાં કરતા ગુના રજી નં અમોત ૪/૨૨ કલમ૧૭૪મુજબની કાર્યવાહી કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે.