News of Thursday, 27th June 2019
ભરૂચના પારખેત ગામની સીમમાં ટીટોડીએ ત્રણ ઇંડા મુકતા ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન
ત્રણ ઇંડા મુકતા ઇંડાની ઇમેજ સોશિયલ મિડીયામાં વાઇરલ
ભરૂચ તાલુકાના પારખેત ગામની સીમમાં આવેલા અલ્તાફભાઇ પટાવાલાના ખેતરમાં ટીટોડીએ ત્રણ ઇંડા મુકતા ઇંડાની ઇમેજ સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ હતી.
પારખેતના દાદાના હુલામણા નામથી ઓળખાતા ઇમ્તિયાઝભાઇનો સંપર્ક કરતા તેઓએ ટીટોડીના ઇંડા અલ્તાફભાઇ પટાવાલાના ખેતરમાં હોવાનું જણાવ્યું હતું તેમજ લોકવાયકા તથા વડવાઓના સમયથી ચાલી આવતા અનુમાનોના આધારે તેઓએ ચોમાસુ સામાન્ય રહેવાનું જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે પારખેત ગામની સીમમાં એક ખેતરમાં ટીટોડીએ મુકેલા ત્રણ ઇંડા ચોમાસાની ગતિવિધિ પર કેવી અસરો છોડશે તે માટે આપણે સૌ એ પ્રતિક્ષા કરવી જ રહી.
(6:22 pm IST)