ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે પટેલ સરકારે કરોડો રૂપિયાની જોગવાઇ કરી
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે આભારનો વરસાદ વરસાવ્યો
રાજકોટ :. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત સરકારશ્રીએ બજેટ સત્રમાં સમગ્ર ગુજરાતનાં વકીલોના લાભાર્થે રૂપિયા છ કરોડ ફાળવવાની જાહેરાત કરી છે તે માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત સરકારશ્રીનો આભાર માને છે.
આ અગાઉ પણ સરકારશ્રીએ ઇ-લાયબ્રેરી માટે રૂપિયા સવા બે કરોડ તેમજ સમગ્ર ગુજરાતનાં વકીલોનાં વેલફેર ફંડના લાભાર્થે રૂપિયા પાંચ કરોડ ફાળવેલા તેનો આ ક્ષણે આભાર માનીએ છીએ. ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કાયદા મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી,નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇ તથા ભાજપ પ્રદેશ લીગલ સેલનાં કન્વીનર અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં પૂર્વ ચેરમેન શ્રી જે. જે. પટેલનો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી કિશોરભાઇ આર. ત્રિવેદી, વાઇસ ચેરમેન શ્રી કરણસિંહ બી. વાઘેલા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેનશ્રી મનોજભાઇ અનડકટે આભાર માન્યો છે.