ગુજરાત
News of Monday, 27th May 2019

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદમાં ;એરપોર્ટ પર ભવ્ય સ્વાગત :

માતા હીરાબાના આશીર્વાદ લેવા પીએમ ગુજરાત પહોંચ્યા :સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી ખાનપુર જવા રવાના

2019 લોકસભાની ચૂંટણીમાં ઝળહળતી જીત મેળવ્યા બાદ મોદી પ્રથમ વખત ગુજરાત આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર અમિતભાઈ  શાહ, સીએમ વિજયભાઈ  રૂપાણી, નીતિનભાઈ પટેલ, રાજ્યપાલ ઓપી કોહલી સહિતના નેતાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. હવે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી આપી ખાનપુર જવા રવાના થશે. તેઓ કાર્યકર્તાઓને સંબોધવાના છે.

  નરેન્દ્રભાઈ મોદી બીજી વખત વડાપ્રધાન બનતા પહેલા તેમની માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. મોદીએ ટ્વિટ કર્યું હતું કે , ‘માતાના આશીર્વાદ મેળવવા 26 મે સાંજે ગુજરાત આવીશ. ત્યારબાદ બીજા દિવસ સવારે હું કાશી જઇશ અને આ મહાન ભૂમિના લોકોએ મારા પર જે વિશ્વાસ દેખાડ્યો છે, તેના માટે હું તેમનો આભાર વ્યક્ત કરીશ.’

(6:24 pm IST)