ગુજરાત
News of Tuesday, 27th April 2021

નરખડી ગામમાં લગ્નના જમણવારમાં માથાકૂટ બાદ ચેન ચક્કર મારી ઇજા કરી ધમકી આપતા બે વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના નરખડી ગામમાં લગ્નના જમણવાર બાદ માથાકૂટ કરી માર મારી ધમકી આપતા બે વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવનીતભાઇ બાલુભાઇ માછી રહે.નરખડી ની ફરીયાદ મુજબ તેમના ઘરની સામે લગ્ન હોઇ અને જમણવાર ચાલતુ હતું ત્યાં અનીલભાઇ જગદીશભાઇ વસાવા દારૂ પીધેલી હાલતમાં ગમે તેમ બોલતો હોય જેથી તેને ત્યાથી ઉભા થઇ જવાનું કહેતા ગામના નજીકના ગલ્લ પાસે નવનીત ભાઈ જતા તું શું કરી લેવાનો છે તેમ કહી અનિલભાઇ જગદિશભાઇ વસાવા અને સંદિપભાઇ જગદિશભાઇ વસાવા બન્ને રહે.નરખડી એકદમ ઉશ્કેરાઇ જઇ અનિલે મોટર સાયકલનું ચેન ચકકર ફરી.ને મારી કાન ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:13 pm IST)